અમદાવાદની ગોઝારી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોનાં દિવંગત આત્માને મોક્ષ મળે અને સદગતના પરિવારોને પરમાત્મા દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ માટે શ્રદ્ધાંજલી આપવા માટે સમૂહ પ્રાર્થના અને ૨ મિનિટ મૌન રાખવામાં આવ્યું

અમદાવાદની ગોઝારી પ્લેન દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આજે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોનાં દિવંગત આત્માને મોક્ષ મળે અને સદગતના પરિવારોને પરમાત્મા દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ માટે શ્રદ્ધાંજલી આપવા માટે સમૂહ પ્રાર્થના અને ૨ મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું.

આ શ્રદ્ધાંજલીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કુલપતિશ્રી, કુલસચિવશ્રી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યો, ભવનોના અધ્યક્ષો, અધિકારીઓ, શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ જોડાયા હતા.


Published by: Office of the Vice Chancellor

17-06-2025